ભૂમિપુત્રની વાર્તાઓ
વીણેલાં ફૂલ
પઠન-શ્રવણ શ્રેણી
૧૯૫૩ની ૧૧મી સપ્ટેમ્બરથી આજ સુધી, દર પખવાડિયે, વગર થાક્યે આપણા બારણે ટકોરા મારતું શિરમોર વિચારપત્ર તે ભૂમિપુત્ર. ભૂમિપુત્રના છેલ્લા પાને અપાતી, વાચકના મનમાં સંવેદન જગાડતી અને જીવનરસની અનુભૂતિ કરાવતી વાર્તાઓમાંથી અહીં ચૂંટેલી ૭૨ વાર્તાઓ એકત્રનાં પઠનકર્તાઓએ એમના મનમોહક અવાજમાં હવે અક્ષરમાંથી અવાજમાં ઊતારી છે — જેમની આંખો થાકી છે અને જેમની પાસે વાંચવાનો સમય નથી, તેમના કાન સુધી પણ આ વાર્તાઓ પહોંચશે. વાર્તાઓનું આ શ્રાવ્ય સ્વરૂપ એક નવો અને વિશાળ શ્રોતાવર્ગ આપશે એવી અમને શ્રદ્ધા છે.
પઠન
કિરણ પટેલ, ક્રિષ્ના વ્યાસ, ધૈવત જોશીપુરા, રુચિકા ત્રિપાઠી, શ્રેયા સંઘવી શાહ
સંપર્ક
યજ્ઞ પ્રકાશન પ્રકાશિત 'વીણેલાં ફૂલ' અને અન્ય પુસ્તકો મેળવવા અહીં સંપર્ક કરો: ભૂમિપુત્ર કાર્યાલય, હિંગળાજ માતાની વાડીમાં, હુજરાત પાગા, વડોદરા - 390001