યજ્ઞેશ દવે
યજ્ઞેશ દવે(જ. 24 માર્ચ 1954) : ‘જાતિસ્મર'(1992)ની દીર્ઘ અછાંદસ કાવ્યકૃતિઓમાંની સર્જકતાથી વિશેષ ધ્યાન ખેંચનાર યજ્ઞેશ દવેએ ‘જળની આંખે'(1985)થી ‘ગંધમંજૂષા'(2015) સુધીના ચાર સંગ્રહો આપ્યા છે એમાં મનુષ્યચેતના વ્યાપક ફલક પર અભિવ્યક્ત થઈ છે અને કલ્પન-પ્રવર્તન તાજગીવાળું બન્યું છે. કવિતા ઉપરાંત એમણે લલિત નિબંધો લખ્યા છે એનાં ‘અરૂપસાગરે રૂપરતન'(1998)થી ‘પવન વિદેહી'(2015) સુધીનાં 4 પુસ્તકો પ્રગટ થયાં છે. એમાં વિસ્મય અને જિજ્ઞાસાનાં રૂપો ઉપરાંત પંખી-વનસ્પતિ-જગતનું સંવેદ્ય રૂપ પણ આલેખન પામ્યું છે. એની પાછળ યજ્ઞેશની સૃષ્ટિવિજ્ઞાનમાંની અધ્યયન-જિજ્ઞાસા પણ કારણભૂત છે. – વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે એમણે Ecologyમાં સંશોધન-પદવી(Ph.D.) મેળવેલી છે.
એ ઉપરાંત બાળકો માટેના સાહિત્યની બે પુિસ્તકાઓ તથા ‘જાપાનીઝ હાઈકુ’ના અનુવાદનું પુસ્તક(2002) પણ એમણે આપ્યાં છે. યજ્ઞેશ દવે ઑલ ઇન્ડિયા રેડીઓમાંની લાંબી કારકિર્દી પછી સ્ટેશન ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થયા છે.
(પરિચય – રમણ સોની)
યજ્ઞેશ દવેનાં અન્ય પુસ્તકો
અન્ય પુસ્તકો
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’ – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: રામનારાયણ વિ. પાઠક | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
ઇબુક
હરિશ્ચન્દ્ર ભટ્ટ – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: હરિશ્ચન્દ્ર ભટ્ટ | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
-
ઇબુક
ધીરેન્દ્ર મહેતાની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: ધીરેન્દ્ર મહેતા | સંપાદક: રમણીક સોમેશ્વર
-